આજે દેશભરમાં દશેરાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અને અનેક ઠેકાણે રાવણ દહન નો કાર્યક્રમ યોજાશે. ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે કોલોની ખાતે 51 ફૂટનો રાવણ ઉભો કરવામાં આવ્યો છે. સતત 53માં વર્ષે પંજાબી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકના વપરાશ અંગે પણ સંદેશો આપવામાં આવ્યો. પ્લાસ્ટિકની વસ્તુઓથી ભરેલો પ્રતિકાત્મક રાવણ પણ બનાવવામાં આવ્યો છે.