આણંદ(Anand) જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ અને આસપાસના પાંચ ગામોના લોકો નવરાત્રી(Navratri) હોવાથી અંબાજી(Ambaji) મંદિર દર્શન કરવા માટે લકઝરી બસ દ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેમા મોટા ભાગના સાગા સબંધીઓ હતા. દર્શન કરી પાછા ફરતા હતા ત્યારે ત્રીસુલિયા ઘાટ પાસે બસ કોઈ કારણો સર પલ્ટી ખાય જતા તેમ સવાર 60 મુસાફરોમાંથી 21 શ્રદ્ધાળુઓના મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો