સાબરકાંઠાના વિજયનગરમાં રાત્ર દરમિયાન 7.5 ઇંચ વરસાદ થયો છે. વિજયનગરના હરણાવ જળાશયમાંથી 4000 ક્યુસેક પાણીમાં છોડાયું છે. જળાશયમાં 4000 ક્યુસેક આવક સામે 4000 ક્યુસેક જાવક છે. ૩૩૧ મીટરની મુખ્ય સપાટીએ જળસ્તર પહોંચતા પાણી છોડાયું છે. તો સાથે જ ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે.