દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. પરિણામો જોતા અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે તે નક્કી છે. આ પરિણામથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તો ખુશ છે જ પરંતુ વિરોધી પાર્ટીઓ પણ ખુશખુશાલ છે. વિરોધી પાર્ટીઓ માટે આમ આદમી પાર્ટીની જીતથી વધુ ભાજપની હારની ખુશી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ પાઠવી છે.