બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવની માવસારી જોડિયાળી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. 20 ફૂટ જેટલું ગાબડું પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. વારંવાર કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતો તપાસની માગ કરી રહ્યાં છે.