વડોદરામાં ત્રણ દિવસ વિતવા છતાં સગીરાના દુષ્કર્મીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આખા શહેરમાં આરોપીઆના સ્કેચ લગાવ્યા છે. વડોદરામાં ત્રણ દિવસ થઈ ગયા પણ હજુ સગીરાના દુષ્કર્મીઓ ફરાર છે. એક પણ આરોપીનો કોઈ અતોપતો નથી. સ્થાનિક પોલાસે આરોપીઓના સ્કેચ તૈયાર કરીને રાવપુરા, દાંડિયા બજાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, યુનિવર્સિટી વિસ્તારોમાં સ્કેચ ચોંટાડવામાં આવ્યા છે. સાથે પોલીસે કુલ 22 ટીમને બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પણ હજી સુધી પોલીસના હાથમાં કઈ લાગ્યું નથી.