સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં માર મારતા ઘાયલ થયેલા ઓમ પ્રકાશ પાંડેનું સારવાર દરમિયાન મોત થયું છે. ઓમ પ્રકાશ પાંડેના મોત મામલે તમામ આઠ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી પોલીસ કર્મીઓ સામે ખટોદરા પોલીસ મથકમાં 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તમામ આરોપીઓ ફરાર છે.