સંસદનાં શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આજે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર અંગે ચર્ચા દરમિયાન સવાલોનાં જવાબ આપી રહ્યા છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે. સંસદના શીતકાલીન સત્રનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે સદનમાં પ્રદૂષણ અંગે ચર્ચા થઇ. તે ઉપરાંત વિપક્ષે અનેક મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. બુધવારે રાજ્યસભામાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા મુદ્દે પણ અહેવાલ રજુ થયો હતો. કોંગ્રેસ દ્વારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો.