આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં આવેલા તળાવોને વરસાદી પાણીથી ભરવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડોના ખર્ચે બનાવાયેલા તળાવો વરસાદી પાણીથી ભરી શકાતા ન હતા. પરંતુ આ વર્ષે શહેરમાં થયેલા ભારે વરસાદ અને તે ઉપરાંત વરસાદી પાણીની લાઇનોમાં થયેલા ગેરકાયદે ગટરના જોડાણો દૂર કર્યા બાદ કેટલાય તળાવો વરસાદી પાણીથી ભરાઇ ગયા છે.