મેગાસિટી અમદાવાદમાં તૂટેલા રોડનો મામલો મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકો માટે માથાનો દુઃખાવો વિષય બન્યો છે. ત્યારે, તૂટેલા રોડને દિવાળી પહેલા કોઇપણ હિસાબે બનાવી દેવાનો ટાર્ગેટ પૂર્ણ થાય એ માટે મેયર બીજલ પટેલને તમામ ઝોનમાં રિવ્યુ બેઠક કરવાની ફરજ પડી. જેમાં અધિકારીઓ પ્રત્યે મેયરનુ અત્યંત કડક વલણ જોવા મળ્યુ. મેયરે ભારે કડક શબ્દોમાં અધિકારીઓને ઝાટકીને વહેલામાં વહેલી તકે રોડ રીપેર કરવાની સૂચના આપી છે.