અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસર પાસેથી બપોરના સુમારે એક યુવતીનું અપહરણ થતું જોઈ રાહદારીઓ અચંબામાં મુકાઈ ગયા હતા. કારમાં આવેલા કેટલાક શખ્સો યુવતીને મંદિરમાંથી ઉઢાવી જઇ કારમાં બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા. જોકે ઘટના અંગેની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવની હકીકત જાણી હતી.