આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં દશામાની મૂર્તિનો ઢગલો જોવા મળ્યો હતો. પહેલી નજરે જોતા એવુ લાગે કે, લોકોએ કેવી દશા કરી છે. લોકો મૂર્તિને પણ યોગ્ય રીતે વિસર્જન કરી શક્તા નથી. પરંતુ હકીકતમાં આ તસવીર અવેરનેસ લાવતી તસવીર છે. હકીકતમાં લોકોએ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે આ રીતે મૂર્તિઓ કિનારા પર જ મૂકી હતી.