આવતીકાલે દિવાળીનો તહેવારને લઇને અમદાવાદના બજારમાં અંતિમ સમયે પ્રસિદ્ધ ત્રણ દરવાજા બજારમાં ઉમટી લોકોની ભીડ હતી. આખરી સમયની ખરીદી નીકળતા દુકાનદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં હજી પણ ખરીદી ઓછી થઇ હોવાનો અને મંદીની અસર દેખાઇ હોવાનો દુકાનદારોએ જણાવ્યું હતું.