અમદાવાદ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતી સારી હોવાનો દાવો પ્રભારી સચિવ સુનયના તોમરે કર્યો છે, રાજ્યના મુખ્ય સચિવ સાથે થયેલી બેઠક બાદ આજે સુનયના તોમરે અમદાવાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જેમાં તેઓએ જણાવ્યું કે મે મહિનાના અંત સુધીમાં માત્ર બે ગામને બાદ કરતા કોઇ ગામને ટેન્કરથી પાણી પહોંચાડવાની જરૂર પડશે નહી.