વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સંગમમાં સ્નાન કરવા માટે કુંભ નગરી પ્રયાગરાજ પહોંચ્યા. અહીં તેમણે ત્રિવેણી સંગમમાં પહોંચીને આસ્થાની ડુબકી લગાવી. સાથે જ સ્નાન કરતા પહેલા અને ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ મંત્રોચ્ચાર સાથે પુજા કરી હતી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંગા આરતી પણ કરી હતી. ત્યાર બાદ ત્યાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને બ્રાહ્મણોને વડાપ્રધાન મોદીએ પ્રસાદ વહેંચ્યો હતો.