આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હવે કમર કસી છે. જેનાં ભાગરૂપે આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રવાસ છે. સેલવાસ-નરોલી માર્ગ પર બનેલાં નવા ભાજપ પ્રદેશ કાર્યાલયનું અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે તેઓએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. સેલવાસમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે માત્ર ગોટાળા જ કર્યા છે. 2019માં ભાજપની જ સરકાર જ બનશે.