કેરીની સીઝન આવતા જ કેરીના શોખીનો કેરીનો સ્વાદ માણવા બજારમાંથી કેરીની ખરીદી કરતા હોય છે. ખેડૂતો આંબાના ઉછેર માટે વિવિધ કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમરેલીના ધારીના માણાવાવ ગામે એક ખેડૂતે સંપૂર્ણપણે ઓર્ગેનિક આંબાનો ઉછેર કરીને કેરીઓનું ઉત્પાદન કરે છે.