ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપની વાયરલ ક્લિપ મામલે આવતીકાલે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સભા યોજી કલેક્ટરને આવેદન અપાશે. સંપ્રદાયને નીચું પાડવા અને લોકોમાં ગેરસમજણ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને લઇ આવેદન અપાશે. આવેદનમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જોડાશે.