કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.