રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. મહત્વનું છે, કે જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. અને ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ આવ્યું સામે છે. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર પણ મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડા પરથી ગન પાવડર નથી મળી આવ્યો.