ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે મારામારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે પ્રદેશ કાર્યાલય ખાતે રાધનપુરની ટિકિટને લઇ રધુ દેસાઇ અને લાલજી દેસાઇ વચ્ચે માથાકૂટ થઇ હતી. લાલજી દેસાઇ દ્વારા પ્રશ્ન ઉભો કરાયો હતો કે રઘુ દેસાઈ રાધનપુરના જ્ઞાતિ સમીકરણમાં બંધ બેસતા નથી. જેને લઇને રઘુ દેસાઇ અને લાલજી દેસાઇ વચ્ચે બબાલ થઇ હતી. ગુજરાત કોંગ્રેસે રઘુ દેસાઇને શોકોઝ નોટીસ પાઠવી છે. શિસ્ત ભંગ પુરવાર થાયતો એઆઇસીસીની મંજુરી બાદ પગલાં ભરવામાં આવશે.