આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથીમાં પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડમાં ઓનલાઈન ચોઈસ ફીલિંગના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 14 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ચોઇસ ફિલીંગ કરી શકશે. હાઈકોર્ટના આદેશ અનુસાર વિદ્યાર્થીઓ ઉમેરાયેલી આ શાખાઓ અને કૉલેજો અનુસાર તેમની ચોઈસ ફીલિંગ બદલી શકશે. આ અગાઉ મેડિકલ એમએ ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ પ્રક્રીયા હાથ ધરાતી હતી. વિદ્યાર્થીઓનો સમયના ના બગડે અને તેમના હિતોનું ધ્યાન રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે.