વડગામ તાલુકાનાં અશોકગઢ ગામે રસ્તાનાં મુદ્દાને લઇ ગ્રામજનોએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે. આઝાદીનાં વર્ષો બાદ ગામમાં રોડ મંજૂર થયો પણ વનવિભાગે રોડનું કામ અટકાવી દેતાં ગ્રામજનો રોષે ભરાયા છે. જો કે આ મુદ્દે ગ્રામજનોનું કહેવું છે કે રોડ ન હોવાને કારણે તેમના ત્યાં મહિલાની પ્રસૂતિનો પ્રસંગ હોય કે પછી કોઇ સ્વજન મૃત્યુ પામ્યું હોય તો લઇ જવામાં પણ તકલીફ પડે છે. હવે ગ્રામજનોનો આક્રોશ સામે આવ્યો છે. જેને લઇને હવે એવી માગ ઉઠી છે કે જો રોડ શરૂ નહીં થાય તો ગામમાંથી કોઇપણ વ્યકિત કલેકટર કચેરીએ જઇને આત્મવિલોપન કરશે તેવી ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે.