ગુજરાતમાં જ્યારે પણ કોઈ ચૂંટણી આવે ત્યારે એક વ્યક્તિ જરૂર ચર્ચામાં આવતા હોય છે. જી, હાં, આપણે વાત કરી રહ્યાં છીએ ગીરના જંગલમાં આવેલા બાણેશ્વર મંદિરના મહંતની. તેણો આ વિસ્તારના એકમાત્ર મતદાતા હતા. તેમના માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરતું હતું. આ બુથ પર દર વખતે 100 ટકા મતદાન થતું હતું. આ મહંત ચૂંટણીમાં મતદાન કરવા માટે પણ લોકોને પ્રેરિત કરતા હતા.