સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કંથારીયામાં શનિવાર સાંજે ભેસ માટે ચારો લેવા ગયેલા આધેડ પર રીંછે હુમલો કરતાં મોઢું, છાતી ખભો પીઠ અને હાથ ઉપર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઇડર દાખલ કરેલ છે. કંથારીયા ગામના મગનભાઈ મોડીયા (52) શનિવાર સાંજે પાંચેક વાગ્યાના સુમારે ભેસ માટે ચારો લેવા ગયા હતા અને અચાનક ઝાડીમાંથી દોડી આવેલ રીંછે હુમલો કરી દેતાં આ ઘટના બની હતી.