ગણતંત્ર દિવસ પર અટારી સરહદ પર રિટ્રીટ સેરેમની દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. ભારતીય સરહદમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગૂંજ્યા ગતા. ભારત-પાક સરહદ પર થનારી આ ખાસ રિટ્રીટ સેરેમનીને જોવા માટે દેશના ખુણે-ખુણાથી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. દેશભક્તિના ઉદ્ઘોષ વચ્ચે લોકો પોતાના હાથમાં તિરંગા ફરકાવતા હિન્દુસ્તાન ઝિંદાબાદ અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.