બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના વડા સ્વ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદમાં શનિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રૂ.10 કરોડના ખર્ચે વિકાસનાં કામોનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રવાસન વિભાગે ચાણસદ ગામમાં પ્રવાસન સુવિધાઓના વિકાસનું આયોજન કર્યું છે. જેમાં તળાવની મધ્યમાં પ્રમુખ સ્વામીની પ્રતિમાની સ્થાપના કરાશે.