ગુજરાતમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ છે જેમાથી અમદાવાદમાં 13 કેસ પોઝિટિવ છે. જો લોકો હજુ પણ કોરોના માટે સાવધાની નહીં રાખે તો આ આંકડો હજુ પણ વધી શકે છે. એટલે સરકાર પણ ખાસ લોકોને અપીલ કરી રહી છે, ઝી 24 કલાક પણ અપીલ કરી રહ્યું છે. અને એ શા માટે જરૂરી છે એ અમદાવાદના પોઝિટિવ કેસમાંના એક દર્દીએ સમજાવ્યું છે. ફિનલેન્ડથી પરત ફરેલી અમદાવાદની યુવતીએ એક પોસ્ટ કરી પોતાની આપવીતી જણાવી છે. તમે પણ જુઓ કે તેમણે કેટલી સાવધાની રાખી છે તેમ છતાં તે કોરોનાનો ભોગ બની. એટલે આપ પણ સાવચેત થાઓ અને ઘરની બહાર નીકળવાનું ટાળો.