વાયુ વાવાઝોડા અંતર્ગત બેટ દ્વારકામાં પડેલા ભારે વરસાદ અને પવનના કારણે દરિયાયી બોટની અવરજવર બંધ થઈ જતા 20 લોકો ફસાયા હતા, જેને ફાયરબ્રિગેડ દ્વ્રારા 2 દિવસ પછી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે સરકારે હજુ બે દિવસ સુધી માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવી છે.