નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરૂદ મળ્યું છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના અસંખ્ય પદોની રચના કરી છે. આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ ખુબજ નબળી હતી. નરસિંહ મહેતા ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને 11 વર્ષના હતા ત્યારે તેમની માતા અવસાન પામ્યા હતા.