ગણેશજી રિદ્ધી સિદ્ધીના દેવ છે.ગણેશજીની આરાધના ઘરમાં સમૃધ્ધિ લાવે છે. ગણેશજીને બુદ્ધિના દેવતા પણ કહે છે. જો ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી એમ દસ દિવસ સુધી સતત કેટલાક મંત્રોના જાપ કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપાથી ધન-સંપત્તિ કમાઇ શકાય છે. આ મંત્રોના જાપથી ગણેશજી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં બેઠેલા બુધ ગ્રહની શુભ અસર મળે છે.