ઢાંક ગામ ના ૫૦૦૦ વર્ષ કરતા પણ પૌરાણિક સ્વયંભૂ ગણેશ મંદિર ની અનોખી પરંપરા કે જ્યાં ગણપતિ બાપા ટપાલ ના માધ્યમ થી મેળવે છે ભક્તો ના દુઃખ દર્દ ની જાણકારી. અહીં ના પૂજારી દ્વારા દરોજ ગણપતિ બાપા ને ટપાલ વાંચી ને સંભળાવે છે. અને અહીં દરરોજ ભક્તો દેશ-વિદેશથી ૧૦૦ થી ૧૫૦ જેટલી ટપાલો મોકલે છે. અને એમાં લખે છે તેમના દુઃખ અને દર્દ.