આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવાનો સૌથી સારા દિવસો ગણાય છે. શ્રાવણ મહિનામાં બધા ભોલેનાથ ની ભક્તિ માં લીન થઈ જાય છે. અને તેમને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે. સોમવારએ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો દિવસ મનાય છે. પૂજા સાથે જ ચંદ્રના ઉપાય પણ કરવામાં આવે છે. ખરેખર તો સફેદ રંગનો ચંદ્ર ગ્રહ આપણા શરીરમાં મન અને જળનો પ્રતિનિધિત્વ કરે છે.