આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ભારત કે મન કી બાત મોદી કે સાથ નામનું અભિયાન શરૂ કર્યું છે. તેના દ્વારા ભાજપ દેશભરના લોકો સાથે વાતચીત કરીને ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર જારી કરશે. અભિયાનની શરૂઆત કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ અભિયાન સંકલ્પ પત્રના લોકતાંત્રિકરણનો અનોખો પ્રયોગ છે. દેશના 10 કરોડ પરિવાર કેવો દેશ ઈચ્છે છે તે તેમના અભિપ્રાયથી જાણી શકાશે.