અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. અલ્પેશના રાજીનામાને લઇને અનેક તર્કવિતર્કો ઉઠી રહ્યા છે. ભાજપમાં જોડાવા માટે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી છે સહિતની ચર્ચાઓ પણ ઉઠી રહી છે, આ સંજોગોમાં ભરતજી ઠાકોરે મોટું નિવેદન આપતાં કહ્યું કે, આ નિર્ણય એ ઠાકોર સેનાની કોર કમિટીનો છે અને અલ્પેશ ભાજપમાં જોડાયા એ વાત વાહિયાત છે.