કોંગ્રેસના ખજાનચી અને ભરૂચના દિગ્ગજ નેતા એવા અહમદ પટેલે અંકલેશ્વરમાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહમદ પટેલે પોતાના પુત્ર ફૈઝલ પટેલ સાથે મતદાન કર્યું હતું. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે ચોક્કસથી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.