ભરૂચ: નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમમાં થયેલ દુર્દશાથી સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલ પિટિશનનો નિકાલ ન આવતા સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હતા. ભરૂચમાં રણ બનેલી રેવા મુદ્દે પિટિશન દાખલ થતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નવ વિભાગો પાસે નોટિસ પાઠવી જવાબો માંગવામાં આવ્યા છે.