ભરૂચ જિલ્લાના 1 હજાર જેટલા ખેડૂતોને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતો દ્વારા ભરૂચ ઇન્કમટેક્સ વિભાગમાં આ મામલે રજૂઆત કરાઈ છે. ખેડૂતોએ ઇન્કમટેક્સ ન ભરવાનો હોવા છતાં નોટિસ મળતા નોટિસ પાછી લેવા માંગ કરી છે. તો બીજી તરફ, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનો કેમેરા સામે કંઈ પણ બોલવા ઇન્કાર કર્યો છે.