મહાદેવની ભક્તિમાં લીન થવાનો સમય એટલે પવિત્ર શ્રાવણમાસ દરેક શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે.દરેક શિવાલયનુ પોતાનુ એક ઐતિહાસીક અને ધાર્મિક મહત્વ હોય છે આવો જ પૌરાણીક ઈતિહાસ ધરાવતુ શિવજીનુ મંદિર એટલે પોરબંદરના મધ્યે આવેલ ભાવેશ્વર મહાદેવનુ મંદિર.ત્યારે ચાલો જાણીએ શિવભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાના આ ભાવેશ્વર મહાદેવ મંદિરનો શુ છે ઈતિહાસ અને શુ છે અહીનો મહિમા.