નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત શાળાના બાળકો શાળાએથી ઘરે જતા હતા ત્યારે ત્રણ બાળકોમાં ચાલુ સ્કૂલવાનમાંથી પડી ગયા એવી ઘટના સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આરટીઓની સૂચના આપી દેવામાં આવી છે. આવા સંજોગો ફરી ન બને તે માટે વાહનની કેપેસિટી પ્રમાણે તે વાલીની હોય કે, સંચાલકની હોય તેમને આરટીઓ મંજુર કરેલી સંખ્યા પ્રમાણે જ વાનમાં બાળકોને બેસાડવા જેના કારણે ફરી વાર આવી ઘટનાઓ બની છે. આરટીઓને યોગ્ય પગલાં અને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી છે.