ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જાહેર થનારા 6 વિધાનસભાની પેટા ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચાવડાએ કહ્યુ કે પ્રજા સરકારની નિષ્ફળતાનો જવાબ મત સ્વરૂપે આપશે. બાયડ અને રાધનપુર બેઠક અંગે ચાવડાએ ઉમેર્યુ કે બંને બેઠકો પર કાંગ્રેસના કાર્યકરોએ ધારસભ્ય ચુંટ્યા હતાં. જો કે હવે પ્રજા સાથે દ્રોહ થયો છે તેના જવાબ આજે પરિણામમાં મળશે. પ્રજા બધુ જ જુએ છે અને સમજે છે પરંતુ હવે પ્રજા સમજદાર થઇ ચુકી છે તેઓ હવે બોલીને નહી પરંતુ બેલેટથી જવાબ આપે છે.