રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશને પગલે કોંગ્રેસના કાર્યકરો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના ઘરની બહાર પણ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. તેથી અસિત વોરાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમના મણિનગરમાં આવેલા ઘરની બહાર પોલીસનો કાફલો પહોંચી ગયો છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે કોંગ્રેસના કાર્યકરો અહીં પહોંચ્યા હતા. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.