જીએમડીસીથી સુભાષ ચોક સુધી ભાજપની ભારત એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ આગેવાનો હાજર રહ્યાં હતા. કાશ્મીરમાં કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓને લઈને લોકજાગૃતિ માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.