દિલ્હીના ચૂંટણી પ્રચારને હવે ફક્ત 5 દિવસ જ બાકી રહ્યાં છે. ત્યાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. દિલ્હીમાં ભાજપના જનસંપર્ક અભિયાનમાં ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા. તેઓ આજે દિલ્હીમાં જનસભાને સંબોધન કરશે.