જસદણ વિધાનસભા પેટાચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પક્ષોએ પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના ઉમેદવાર કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ભવ્ય વિજય થાય તે માટે ભાજપના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ચૂંટણી પંચે તા. 20મી ડિસેમ્બરે મતદાનની જાહેરાત કરી હતી. આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા અને કોંગ્રેસમાંથી કોળી આગેવાન અવસર નાકિયાએ ઉમેદાવીરી નોંધાવી છે. આ બેઠક ઉપર બન્ને રાજકીય પક્ષોના ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે જસદણની મુખ્ય વેપારીઓ શું માની રહ્યાં છે આવો જોઇએ.