ભાજપની કદાવર નેતા સુષમા સ્વરાજને શ્રદ્વાંજલિ આપવા માટે મંગળવારે સાંજે એક સર્વદલીય શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેબિનેટના તમામ મંત્રી, સાંસદ, પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી અને કાર્યકર્તાઓ ઉપરાંત તમામ વિપક્ષના નેતા અને ઘણા ડિપ્લોમેટ્સ પણ ભાગ લેશે. આ કાર્યક્રમ સાંજે 4 વાગે લોદી લોકોનીમાં જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ પાસે વેટલિફિંગ માટે બનાવવામાં આવેલા ઇનડોર સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવ્યો છે.