બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.