વીરમગામ બાદ હવે ભરૂચના આમોદમાં પાણી ભરાયા છે. આમોદના ધમણાદ ગામ નજીક નહેરમાં લીકેજ થવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવે આ પગલે ખેડૂતોએ ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી છે.