હાલ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર સીક્સ લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સંજોગોમાં અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ખીલોડા સહિતના ૨૫ ગામોના લોકોએ હાઈવે પર ઓવર બ્રિજ બનાવાની માંગણીને લઇ ચક્કાજામ કર્યો હતો. ઓવર બ્રિજના અભાવે રોડમાં છાશવારે અકસ્માતોમાં સર્જાતા નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે.