કેવડીયામાં લારીઓ હટાવવાના મુદ્દે સાંસદ મનસુખભાઇ વસાવા અચાનક કેવડિયાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સામે નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તા માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મનસુખ વસાવાએ નિગમના એમ.ડી. અને રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા.